Pandit dindayal upadhyay avas yojna 2020 , Avas yojana form 2022. , Dindayal Awas Yojna 2022, Makan Sahay Yojna 2022 , All Information Pandit Dindayal avash yojana 2022




નમસ્કાર વિદ્યાર્થીમિત્રો સ્વાગત છે આપનું egujrat ની એક નવી જ પોસ્ટ પર . આપણી આજની પોસ્ટ  આવાસ યોજના વિશેની . આપણે આજની પોસ્ટ પર વાત કરવાના છીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 વિષે. શું છે  આ યોજના ? અને તેમાં લાભ કઇ રીતે મેળવવો , ફૉર્મ કઇ રીતે ભરવું અને અન્ય તમામ પ્રકારની માહિતી આપણે આજની પોસ્ટ પર મળી રહેશે. તો ચાલો શરૂ કરીએ આજની પોસ્ટ . 

પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજના 2022  

નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી- વિમુક્ત જાતિઓના ઘર વિહોણા ઈસમોને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે. આ યોજના નો લાભ આપવા માટે ૨૦૨૨ ના વર્ષનું નોટીફીકેશન આવી ગયું છે . સદરહુ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી samajkalvan.barat.gov.in પોર્ટલ  ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. શું છે આઅ યોજનાનો લાભ મેળવવા માટેની યોગ્યતા ના માપદંડો તેના વીશેની માહિતી આપને  નીચે મુજબ મળી રહેશે.  

વિભાગ દ્વારા નાણાંકિય વર્ષ ૨૦૨૧-૨૨ની આ યોજના હેઠળ આવેલા  ઓનલાઈન અરજીઓની સંખ્યા અમુક જિલ્લામાં  નિર્ધારીત લક્ષ્યાંક કરતા વધારે પ્રમાણમાં આવેલ હોવાથી  હોવાથી સરકારશ્રી દ્વારા આવી મંજુર કરવાપાત્ર અરજીઓ વર્ષ ૨૦૨૨-૨૩ માં ચાલુ રાખવાનો નિર્ણય કરેલ છે, જે ધ્યાને લેતા નીચે દર્શાવેલ જિલ્લાઓમાં લક્ષ્યાક સામે પુરતા પ્રમાણમાં જાતિવાઈઝ અરજીઓ મળે તે માટે તે જિલ્લાઓમાં સંબંધિત જાતિના અરજદારોએ ઓનલાઈન અરજી કરી શકશે. જેની ખાસ નોંધ લેવી. 

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ માટે દાહોદ પાટણ, બનાસકાંઠા, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ની આ યોજનાની મળેલ અરજીઓ પૈકી મંજુર કરવાપાત્ર બાકી અરજીઓ વર્ષ ૨૦૨ ૩ ના લક્ષ્યાંક સામે ૦  પર્યાપ્ત હોઈ આ જિલ્લાઓમાં ઓનલાઈન અરજીઓ મંગાવવાની થતી નથી. આ ૭ (સાત) જિલ્લા સિવાયના જિલ્લાઓના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના અરજદારો અરજી કરી શકશે. આર્થિક પછાતવર્ગ અને વિચરતી-વિમુક્ત જાતિના દરેક જિલ્લાના અરજદારો ઓનલાઈન અરજી કરી શકશે.વિચરતી-વિમુક્ત જાતિ માટે લક્ષ્યાક પુર્ણ ન થાય ત્યાં સુધી ઓનલાઈન પોર્ટલ ચાલુ રાખવામાં આવશે. આ સમયગાળા દરમ્યાન જે જિલ્લામાં લક્ષ્યાક સામે અરજીઓ ન મળે તો ઉક્ત સમયગાળો લંબાવવામાં આવશે જેથી અરજદારો ઓનલાઈન પોર્ટલ જોતા રહેવું.

જો આપે વર્ષ ૨૦૨૧-૨૨ ના વર્ષ માટે અરજી કરેલ હોય અને પુર્તતા માટે પરત મળેલ હોય તો આપના માટે ખૂબ ઉપયોગી માહિતી . 

  • 1) વર્ષ ૨૦૨૧-૨૨માં જે અરજદારો અરજી કરેલ હતી અને જરૂરી ડોક્યુમેન્ટ ઑનલાઇન અપલોડ કરેલ ન હતા તેવી અરજીઓ જિલ્લા કચેરી દ્વારા પુર્તતા કરવા માટે જે અરજદારને સેન્ડબેક કરેલ હતી અને અરજદારે આ અરજીની પુર્તતા કરીને જિલ્લા કચેરીને ઓનલાઈન મોકલેલ નથી તેવી સેન્ડબેક અરજીઓ અરજદારે દિન-૧૦ પુર્તતા કરીને ઓનલાઈન પરત મોકલવાની રહેશે. ત્યારબાદ આ અરજીઓ આપોઆપ રદ ગણવામાં આવશે.

ફૉર્મ ભરવા માટેની કેટલીક અગત્યની માહિતી 

  • પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવવા માટેની અરજી ઓનલાઇનથી જ કરવાની રહેશે. અરજી સાથેના ડોક્યુમેન્ટ પણ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. 
  • અરજીમાં સંપૂર્ણ માગેલ વિગતો ભરેલ નહી હોય અથવા અધૂરા દસ્તાવેજો વાળી અરજી હશે તો તે આપોઆપ (નામંજુર) ગણાશે.
  • અરજદાર. મુળ ગુજરાત રાજ્યના વતની એવા જોઇએ
  •  અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦/- થી વધુ હોવી જોઇએ નહી . 
  • અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય કોઇ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઇએ નહી. 
  •  આ યોજનનો લાભ કુટુંબમાંથી કોઇ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર છે.
  • અરજી બાબતે જ્યારે  જિલ્લા કચેરીના અધિકારીશ્રી/કર્મચારીશ્રી દ્વારા જ્યારે ઓરીઝનલ ડોક્યુમેન્ટ માંગવામાં આવે ત્યારે બતાવવાના આપવાના રહેશે.
  • ઓનલાઈન અરજીમાં અરજદારે પોતાના અથવા પોતાના કુટુંબના વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો રહેશે, અન્ય વ્યક્તિની નંબર આપેલ હશે અથવા એક જ નંબરથી વધુ અરજીઓ આવેલ હતો તો આવી અરજીઓ રદ ગણવામાં આવશે. એ અરજદાર ખાસ નોંધવું . 
  • અરજદાર દ્વારા ઓનલાઇન કરેલ અરજીનું સ્ટેટસ  જાણવા વેબસાઇટ જોતા રહેવું. 
  • અરજી મંજુર કરવાની સત્તા જિલ્લા અધિકારીશ્રીની રહેશે જે અંગે બીજો કોઇ હકદાવો કરી શકાશે નહી.
  • પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો sax.kahan.uirat.gov.in પર દર્શાવેલ છે. જેને સંપુર્ણ અભ્યાસ કરી અરજદારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ વિશેષ માહિતી જિલ્લાના નાથબ નિયામકશ્રી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, વિકસતી જાતિ)ની કચેરીમાંથી પણ મળી રહેશે.
  • પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા બાબતે કોઇ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક, વિકસતી જાતિ કલ્યાણ હતું. ગુજરાત રાજ્ય, ગાંધીનગરનો નિર્ણય આખરી રહેતી.
    અરદારો એ ખાસ ધ્યાનમાં રાખવું કે  પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માં લાભ  મેળવવવા માટેની ઓનલાઇન અરજી કરી જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. અધુરી મળેલ અરજી દફતરે કરવામાં આવશે. આ  યોજનાં માટે વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામુ પણ આપને નીચે મુજબ મળી રહેશે. તેમજ આ ફૉર્મ ભરવા માટે જરૂરી આધાર પુરાવાઑ તેમજ કયા ઉમેદવારો આ યોજનાનો લાભ મેળવી શકે તે માટે એક નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે એ પણ નીચે મુજબ છે . 

    પંડિત દિન દયાલ આવાસ યોજના ફૉર્મ ૨૦૨૨ 

    Click Here

    પંડિત દિન દયાલ આવાસ  યોજના ગાઈડલાઈન ૨૦૨૨

    Click Here

     
    પંડિત દિનદયાલ આવાસ યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો esamaj kal yan.gujarat.gov.in પર દર્શાવેલ છે.જેનો સંપુર્ણ અભ્યાસ કરી અરજદારએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ વિશેષ માહિતી જિલ્લા નાયબ નિયામકશ્રી/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી,(વિકસતી જાતિ) ની કચેરીમાંથી પણ મળી રહેશે. 

    ફૉર્મ ભરવા નું શરૂ થવાની તારીખ :-  ૧૬/૬/૨૦૨૨ 

    ફૉર્મ ભરવા નાટેની છેલ્લી તારીખ :-  ૩૦/૬/૨૦૨૨ 

     પંડીત દીનદયાલ આવાસ યોજના માં ફૉર્મ ભરવા માટેના જરૂરી આધારો કયા છે તેની યાદી જોઈ લઈએ. 

    ફૉર્મ ભરવા માટેના જરૂરી આધારો 
    • આધાર કાર્ડ , ચૂંટણી કાર્ડ 
    • રહેણાંક નો પુરાવો 
    • આવકનો દાખલો 
    • પાસપોર્ટ સાઈઝ ફોટો 
    • બઁક પાસબુકની નકલ 
    • જાતિનો દાખલો
    આપ આ યોજના માં નીચેની  લીંક દ્વારા ફૉર્મ  ભરી શકશો . 

    પંડિત દીન દયાલ આવાસ યોજના ૨૦૨૨ ફૉર્મ ભરવા માટેની લિન્ક : CLICK HERE 

    READ MORE 

    માનવ ગરીમાં યોજના ફૉર્મ ભરવા માટેની લિન્ક :  Click  Here 


    READ MORE 

    Gpssb mphw exam-Fhw Exam Call letter  2022 : Click Here 

    MATHS AND REASONING PDF DOWNLOAD: CLICK HERE 

    GENERAL SCIENCE MCQ PDF : CLICK HERE 


    Senior clerk cpt syllabus - 2022 :- click here 

    MOST IMPORTANT ORGANISATION OF INDIA : CLICK HERE

    IMPORTANT AWARDS  QUESTIONS : CLICK HERE 
     
    COMPUTER IMPORTANT QUESTIONS : CLICK HERE 

    NOBEL PRIZE 2021 PDF : CLICK HERE 

    આ હતી આપણી આજની પોસ્ટ આજ પ્રકારની અન્ય માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાય જજો. 

    e-gujrat is Created Only For The Educational Purpose. Not The Owner Of Any OF The Available PDF Material Ans Books On it. Nor Made And Scanned.We Omly Provide The Link And Material Already Available On The Interner.If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com .