National Vaccination Day 2022: Date, Theme, History, Significance and facts about Vaccination I Day inndia 16-march 2022,રાષ્ટ્રીય રસીકરણ દિવસ 2022 ભારતમાં રસીકરણ દિવસ વિશે તારીખ, થીમ, ઇતિહાસ, મહત્વ અને તથ્યો





રાષ્ટ્રીય રસીકરણ દિવસ 2022 ભારતમાં રસીકરણ દિવસ વિશે તારીખ, થીમ, ઇતિહાસ, મહત્વ અને તથ્યો


રાષ્ટ્રીય રસીકરણ દિવસ 2022 ભારત: રસીકરણનું મહત્વ તેમજ લોકોમાં જાહેર આરોગ્ય અને તેની ભૂમિકા સમજાવવા માટે દર વર્ષે 16 માર્ચે ના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવવામાં આવે છે.રાષ્ટ્રીય રસીકરણ દિવસ નો ઉદેશ્ય લોકો સુધી સંદેશો પહોંચાડવાનો છે કે રસીકરણ અત્યંત ચેપી રોગોને રોકવા માટે સૌથી અસરકારક રીત છે.

રાષ્ટ્રીય રસીકરણ દિવસ 2022 એ COVID-19 રોગચાળા વચ્ચે પણ ચોક્ક્સ મહત્વ ધરાવે છે જેની સામે રસી એ જીવલેણ રોગને રોકવાનો એકમાત્ર ઉપાય છે.

રાષ્ટ્રીય રસીકરણ દિવસ આપણી પોલિયો જેવ ખતરનાક રોગ સામે ભારતની જીતને દર્શાવે છે. નોંધનીય છે કે, રસીકરણની અસર માત્ર સ્વાસ્થ્ય અથવા આયુષ્યમાં સુધારો કરવા સુધી મર્યાદિત નથી, તે સમુદાય અને રાષ્ટ્રીય સ્તરે સામાજિક અથવા આર્થિક અસર પણ ધરાવે છે.

 રાષ્ટ્રીય રસીકરણ દિવસ 2022

જીવલેણ રોગો સામે રસીકરણના મહત્વને પ્રકાશિત કરવા માટે ભારતમાં ૧૬ માર્ચે રાષ્ટ્રીય રસીકરણ દિવસ મનાવવામાં આવે છે.

રાષ્ટ્રીય રસીકરણ દિવસ ૨૦૨૨ થીમ 

રાષ્ટ્રીય રસીકરણ દિવસ 2022 ની થીમ છે "વેક્સીન્સ વર્ક ફોર ઓલ રાષ્ટ્રીય રસીકરણ દિવસ 2022 થીમ દર્શાવે છે કે રસીઓ થી કઈ રીતે બધા  માટે કાર્ય કરે છે અને સમગ્ર વિશ્વમાં જીવન બચાવે છે

રાષ્ટ્રીય રસીકરણ દિવસ 2022 ઇતિહાસ:

દર વર્ષે 16 માર્ચના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિવસ મનાવવામાં આવે છે કારણ કે આ દિવસે પ્રથમ વખત ભારતમાં 1995માં ઓરલ પોલીયો રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી હતી. રાષ્ટ્રીય રસીકરણ દિવસની   ભારત સરકારના પલ્સ પોલિયો કાર્યકમની ઉજવણી અંતર્ગત કરવામાં આવે છે જે ભારતમાંથી પોલિયોને નાબુદ માટેની પણ એક નોંધપાત્ર પહેલ કરવામાં આવી હતી. કાર્યક્રમ મુજબ, ૦ થી 5 વર્ષની વયના બાળકોને પોલિયો રસીના બે ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. ભારતમાં પલ્સ પોલિયો કાર્યક્રમ ખૂબ જ સફળ બન્યો 
હતો કારણ કે 2014 ના વર્ષમાં, વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતને 'પોલિયો મુક્ત દેશ' બનાવવાની જાહેરાત કરી હતી.

એક અહેવાલ મુજબ, ભારતમાં પોલિયોનો છેલ્લો કેસ 2011માં પશ્ચિમ બંગાળમાં નોંધાયો હતો. પોલિયો કાર્યક્રમની સફળતા બાદ, ભારતે ટીબી, ગાલપચોળિયાં, ટિટાનસ અને વધુ જેવા ગંભીર રોગો સામે રસીકરણનું કામ શરૂ કર્યું.

રાષ્ટ્રીય રસીકરણ દિવસ 2022: ભારતમાં રસીકરણ દિવસ શા માટે ઉજવવામાં આવે


રસીઓ, છેલ્લા કેટલાક દાયકાઓમાં, સમગ્ર વિશ્વમાં જીવલેણ રોગો સામે લડવા માટે એક મહત્વપૂર્ણ સાધન બની ગઈ છે. રાષ્ટ્રીય રસીકરણ દિવસ 2022 રસીની ભૂમિકાને સ્વીકારે છે અને જણાવે છે કે કેવી રીતે આજના વિશ્વમાં, તેમના દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાને અવગણી શકાય નહીં.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અહેવાલ મુજબ, રસીઓ દર વર્ષે લગભગ 2 થી 3 મિલિયન લોકોને બચાવે છે અને સમગ્ર વિશ્વમાં કોવિડ-19 રોગચાળો પ્રવર્તી રહ્યો હોવાથી ભારત સરકાર ભારતના દરેક નાગરિકને રસી આપવા માટે દરેક જરૂરી પગલા લઈ રહી છે. 

 રાષ્ટ્રીય રસીકરણ દિવસ 2022: ભારતમાં રસીકરણ દિવસ વિશે હકીકતો કેટલીક બાબતો. 

1. 2014 માં, રસીકરણથી વંચિત રહેતી માતાઓ અને બાળકોના સ્વાસ્થ્યને વધુ સારી બનાવવા માટે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ મિશન ઇન્દ્રધનુષ શરૂ કરવામાં આવ્યું હતું.

2. ભારત સરકાર દ્વારા મિશન ઇન્દ્રધનુષનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં અટકાવી શકાય તેવા બાળ મૃત્યુને સમાપ્ત કરવાના ટકાઉ વિકાસ લક્ષ્યને હાંસલ કરવાનો છે.

3. સમગ્ર વસ્તીને COVID-19 રોગચાળા સામે રસીકરણ કરવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વનો સૌથી મોટો COVID-19 રસીકરણ કાર્યક્રમ ભારતમાં શરૂ કરવામાં આવ્યો છે

e-gujrat Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or There Is A Problem Please Mail Us At egujrat18@gmail.com